.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

16/5/11

૧૩. વિધવા વિવાહ ગીત-ર


(રાગ-મારે માંડવ લીલી આડી ને પીળી થાંભલી રે...)

મારે માંડવ વાંસના લીધા ચાર થાંભલા રે,
એમાંથી બનાવ્‍યો રૂડો લગ્નમંડપ રે,
               સુખી થનારનો માંડવો રે.

એના પહેલા થાંભલે તે દેવોને નોતર્યા રે,
તેઓ આવીને આપે તેને આશીર્વાદ રે, સુખી થનારનો...

દેવો એને સુખી થવાના આશિષ આપે રે,
જેથી એનો મંડાય આ સુખી સંસાર રે, સુખી થનારનો...

એના બીજા થાંભલે તે આગેવાનો નોતર્યા રે,
તેઓ કરે ત્‍યાં વધાવાનો વરસાદ રે, સુખી થનારનો...

એની રૂડી નાવ સંસારમાં આગળ ધપે રે,
એનાં ચોઘડિયાં બધાં રહે મંગલ રે, સુખી થનારનો...

એના ત્રીજા થાંભલે સાસુ-સસરા નોતર્યાં રે,
તેઓ રાખે એનું સર્વ પ્રકારે ઘ્‍યાન રે, સુખી થનારનો...

દીકરીની જેમ રાખે એને એના સસરા રે,
એના સાસુજી બને માવડી સમાન રે, સુખી થનારનો...

એના ચોથા થાંભલે વરરાજાને નોતર્યો રે,
એ કરે સંસારી ફરજોનું પાલન રે, સુખી થનારનો...

વરરાજો આવી ચોળીના ફેરા ચાર ફરે રે,
નવદંપતીનો સુખી થાય સંસાર રે, સુખી થનારનો...

આમ ચારેય થાંભલે ચાર નોતરાં આપ્‍યાં રે,
અહિંયા હેતથી પધારે મહાશય રે, સુખી થનારનો...
                          * * *

ટિપ્પણીઓ નથી: