.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

16/5/11

૧૨. વિધવા વિવાહ ગીત-1


(રાગ-કંકુ છાંટીને લખજો કંકોતરી...)

શુભ મુહૂર્તે લખજો કંકોતરી,
એમાં લખજો સુખી થનારનું નામ
                    માણેકથંભ રોપ્‍યો.

ઉજ્જડ સંસાર ફરીથી બંધાણો,
આજે એને નથી જોતાં ધન કે દામ
                    માણેકથંભ રોપ્‍યો.

નવા સંસારમાં ખુશી પ્રભુ આપે,
એવા આશીર્વાદ દેજો એને તમામ
                    માણેકથંભ રોપ્‍યો.

સંસારમાં હરદમ આગળ વધે,
એવાં કરજો એ દુખિયારીનાં કામ
                    માણેકથંભ રોપ્‍યો.

એનો વેલો સદાયે આગળ વધે,
એના હૈયડામાં રહે હંમેશાં હામ
                    માણેકથંભ રોપ્‍યો.

સુખ આપ્‍યું સસરાએ માવતરનું,
તેઓએ અપાવ્‍યું છે એને સ્‍વર્ગધામ
                    માણેકથંભ રોપ્‍યો.

નવાં સાસરિયામાં સૌનો સ્‍નેહ મળે,
એની રક્ષાયું કરે ભગવાન રામ
                    માણેકથંભ રોપ્‍યો.

એના વિવાહમાં સૌ લોક પધારજો,
આવી દીપાવજો આ નાનકડું ગામ
                    માણેકથંભ રોપ્‍યો.
                          * * *

ટિપ્પણીઓ નથી: